સુરેન્દ્રનગરમાં ફરીથી ગરમીનો પારો પહોંચ્યો 44 ડિગ્રીએ, અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, પંજાબથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી પાકિસ્તાન પરથી પસાર થતી ટ્રફ હાલમાં 1.5 કિમી ઊંચાઈએ સક્રિય છે. ઉપરાંત 28 મે આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

સુરેન્દ્રનગરમાં ફરીથી ગરમીનો પારો પહોંચ્યો 44 ડિગ્રીએ, અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન
| Edited By: | Updated on: May 26, 2026 | 8:00 PM

ગુજરાતમાં રહેલા સુકા વાતાવરણ અને નીચલા સ્તરે ફુંકાઈ રહેલા પવનને કારણે, તાપમાનનો પારો ફરીથી ઉચકાયો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોધાઈ છે. જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય સ્તરે રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી.

આમ છતા સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. જ્યારે અમદાવાદમાં પણ ગરમીનો પારો 43.2 ડિગ્રી નોંધાયો હતો. હાલ ગુજરાત વિસ્તારમાં નીચલા સ્તરે પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગરમી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાત રાજ્ય તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

રાજ્યના અન્ય મહત્વના શહેરોમાં નોંધાયેલ ગરમીના પ્રમાણની વાત કરીએ તો, રાજકોટમાં 42.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. જ્યારે અમરેલીમાં 41.7 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભાવનગરમાં પણ ગરમીનો પારો 42. 2 ડિગ્રીએ અટક્યો છે. ગાંધીનગરમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં રાત્રીનું તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગામી 2 થી 3 દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી તેમજ અંડમાન સમુદ્રના બાકી વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રીય

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, પંજાબથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી પાકિસ્તાન પરથી પસાર થતી ટ્રફ હાલમાં 1.5 કિમી ઊંચાઈએ સક્રિય છે. ઉપરાંત 28 મે આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

ટેકાના ભાવે ઉનાળુ મગ વેચવા માંગતા ખેડૂતોએ 27 મેથી 10 જૂન સુધીમાં કરાવવું પડશે રજિસ્ટ્રેશન

Follow Us