Zydus Cadila Vaccine : તરૂણોને મળી શકે છે સુરક્ષા કવચ, ઝાયડસે DNA આધારિત રસી માટે માગી મંજૂરી

Zydus Cadila : ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ તેની DNA આધારિત રસીના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે. તેમજ રસીનું ઝાયકોવ-ડી નામ આપવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2021 | 10:38 AM

Zydus Cadila Vaccine : ઝાયડસ કેડીલા તરફથી તરૂણો માટે કોરોના (Corona) ની રસી (Vaccine) અંગે સારા સમાચાર મળ્યા છે. ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ તેની DNA આધારિત રસીના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે.

ગુજરાત અને દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ હતી. ત્યારે કોરોના મહામારીમાં સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઝાયડસે 12 થી 18 વર્ષના તરુણો માટે રસી (Vaccine) વિકસાવી છે. તેમજ રસીનું નામ ઝાયકોવ-ડી (Zycov-D) નામ આપવામાં આવ્યું છે. કંપનીએ આ રસી માટે 50 સેન્ટરમાં કિલનિકલ ટ્રયલ હાથ ધર્યું છે.

ભારતમાં 12 થી 18 વર્ષના તરુણો માટે ટેસ્ટ થયેલી આ સૌ પ્રથમ રસી (Vaccine) છે. કંપનીએ 1 હજાર તરુણો પર ટ્રાયલ કર્યું છે. જેમાં એ જોવા મળ્યું કે, રસી (Vaccine) ના બીજા ડોઝ બાદ કોરોના કેસ નોંધાયો નથી તેમજ રસી બાદ કોઈનું મૃત્યું પણ થયું નથી. ઝાયડસે ભારતના ડ્રગ કન્ટ્રોલર જનરલ પાસે મંજૂરી માગી છે.

રાજ્યમાં 18 વર્ષથી ઉપરની ઉંમરના કોરોના રસીકરણ (Corona Vaccination) માટે પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી 40.77 ટકા એટલે કે, 2 કરોડ 61 હજાર 255 લોકોને અત્યાર સુધીમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનાર લોકોની સંખ્યા 30મી જૂન-2021 સાંજ સુધીમાં 2 કરોડને પાર થઈ ગઈ છે, એટલું જ નહિ 56 લાખ 16 હજાર 736 લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

રાજ્યમાં 30 જૂનના રોજ 100થી ઓછા એટલે કે, 90 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના (Corona) ના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ધટાડો નોંધાઈ રહ્યો છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">