Surendranagar News: સુરેન્દ્રનગર વિરમગામ હાઈવે પર ગંભીર અકસ્માત થયો છે. કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોચતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતકો લખતરના સદાદ ગામના વતની હતા. તેઓ માતાજીની માનતા કરવા પલાસા ગામે જઈ રહ્યા હતા. અકસ્માત થતા લોકોના ટોળા રસ્તાઓ પર જોવા ઉભા રહ્યા હતા.
આ પણ વાંચો: Pune Accident News : હાઈવે પર ST-ટ્રકનો ભયાનક Accident, બંને વાહનો સામસામે અથડાયા
મહત્વનું છે કે અકસ્માત થતા હાઈવે ચીચયારોથી ગુંજી ઉઠ્યો હતો, એક સાથે ત્રણ લોકોના મોત થતા લખતરનું સદાદ ગામમાં માતમ છવાઈ ગયો હતો. આ રોડ પર વારંવાર અકસ્માતની ઘટના બને છે.
(Input Credit: SAJID BELIM)
Published On - 11:33 am, Tue, 10 October 23