વ્યાજબી માંગથી શરૂ થયેલું આંદોલન કેમ આડા પાટે જઈ રહ્યું છે? પરવાનગી વગરના પ્રદર્શનો અને ભડકાઉ રાજનીતિ પર ઉઠ્યા સવાલ

વિદ્યાર્થીઓના હિત અને પરીક્ષા સુધારા માટે શરૂ થયેલ આંદોલન શું હવે માત્ર રાજકીય એજન્ડાનું સાધન બની ગયું છે? NEET પરીક્ષા વિવાદથી લઈને અન્ય પ્રદર્શનોમાં જે રીતે મુખ્ય મુદ્દાઓ ભટકી રહ્યા છે અને વિરોધની આડમાં રાજનીતિ થઈ રહી છે, તેણે સમગ્ર દેશમાં એક નવી ચર્ચા જગાવી છે.

વ્યાજબી માંગથી શરૂ થયેલું આંદોલન કેમ આડા પાટે જઈ રહ્યું છે? પરવાનગી વગરના પ્રદર્શનો અને ભડકાઉ રાજનીતિ પર ઉઠ્યા સવાલ
Image Credit source: AI Generated
| Edited By: | Updated on: Jul 25, 2026 | 4:14 PM

દેશમાં વિવિધ મુદ્દાઓને લઈને થતા વિરોધ-પ્રદર્શન અને તેની આડમાં પાંગરતી રાજનીતિ પર ફરી એકવાર ચર્ચા છેડાઈ ગઈ છે. NEET પરીક્ષામાં ગડબડી સામે શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આંદોલન હવે માત્ર પરીક્ષા સુધારા સુધી સીમિત ન રહેતા એક મોટા રાજકીય વિવાદનું રૂપ લઈ ચૂક્યું છે.

તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન વિદ્યાર્થી આંદોલનોની દિશા અને દશા પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન સોનમ વાંગચુકના ભૂખ હડતાળ આંદોલનનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, અવારનવાર ગંભીર મુદ્દાઓ પર થતા પ્રદર્શનોમાં કેટલાક લોકો જોડાઈને બિનજવાબદાર હરકતો અને નાટક કરે છે, જેનાથી મુખ્ય મુદ્દો નબળો પડી જાય છે.

NEET ઉમેદવારોનો આક્રોશ વ્યાજબી પણ બાહ્ય તત્વોએ માહોલ બગાડ્યો

NEET પરીક્ષાનું પેપર લીક થયા બાદ દેશભરમાં વિદ્યાર્થીઓનો આક્રોશ સ્વાભાવિક હતો. વિદ્યાર્થીઓનો વિરોધ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકારે ફરીથી પરીક્ષા (Re-exam) યોજી હતી. ત્યારબાદ ઘણા લાયક વિદ્યાર્થીઓની પસંદગી થઈ અને તેઓ હવે પોતાની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. જો કે, એવો પણ આરોપ છે કે, જેઓએ પરીક્ષા આપી પણ ન હતી, તેઓ રસ્તા પર ઉતરીને પથ્થરમારો અને ઉપદ્રવ કરવા લાગ્યા હતા.

આ વલણ માત્ર NEET પરીક્ષા સુધી સીમિત નથી. JNU માં હોસ્ટેલ ફી વધારો હોય કે ખેડૂતોનું MSP આંદોલન, અવારનવાર વ્યાજબી માંગણીઓથી શરૂ થયેલા પ્રદર્શન બે દિવસમાં જ પોતાના મુખ્ય રસ્તા પરથી ભટકી જાય છે. આ પછી કેટલાક ખાસ એજન્ડા ચલાવતા લોકો અને સંગઠનો તેમાં દાખલ થાય છે.

 

ટૂંકમાં ત્યાંથી આખો નેરેટિવ ‘હાઈજેક’ કરી લે છે. પરિણામે, મુખ્ય મુદ્દા પાછળ રહી જાય છે અને ‘ઉમર ખાલીદની મુક્તિ’ કે ‘સરકારના રાજીનામા’ જેવા રાજકીય નારા લાગવાનું શરૂ થઈ જાય છે.

સુરક્ષા નિયમોની અવગણના અને ફોટો-ઓપ રાજનીતિ

કાયદો અને વ્યવસ્થાના દ્રષ્ટિકોણથી જોઈએ તો કોઈપણ સાર્વજનિક સ્થળે પ્રદર્શન કરવા માટે 15 દિવસ પહેલા સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવી ફરજિયાત હોય છે. આનાથી પોલીસ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા, બેરિકેડિંગ અને સામાન્ય જનતા માટે રૂટ ડાયવર્ઝન કરી શકે છે.

વિચારેલી રણનીતિનો ભાગ

આનાથી વિપરીત, પરવાનગી વગર પ્રદર્શન કરવું, સંસદ માર્ગ જેવા અત્યંત સંવેદનશીલ સુરક્ષા ધરાવતા વિસ્તારો તરફ આગળ વધવું અને વિદ્યાર્થીઓને ઢાલ બનાવીને આગળ કરવા એ એક વિચારેલી રણનીતિનો ભાગ માનવામાં આવી રહ્યો છે. આનો હેતુ પોલીસ કાર્યવાહી દરમિયાન સંઘર્ષ ઊભો કરવાનો અને પછી પીડિત તરીકે પોતાના ફોટો-વીડિયો વાયરલ કરીને સહાનુભૂતિ મેળવવાનો છે.

આ આખી સ્થિતિ સ્પષ્ટ કરે છે કે, જો વિદ્યાર્થીઓ પોતાના જ મુદ્દાઓ પર થઈ રહેલી આ પ્રકારની રાજનીતિને સમજવામાં અસમર્થ છે, તો આ આપણી વર્તમાન શિક્ષણ પ્રણાલીની સોચ અને સમજ પર પણ એક મોટો સવાલ ઊભો કરે છે.

Breaking News : ઇન્સ્ટાગ્રામ પર PM નરેન્દ્ર મોદીના વીડિયોએ બનાવ્યો નવો રેકોર્ડ, 24 કલાકમાં 300 કરોડની પાર વ્યૂઝ

Published On - 4:14 pm, Sat, 25 July 26

Follow Us