આજના સમયમાં અનેકની ઊંધ વેરણ થઈ ચૂકી છે, જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો

| Edited By: | Updated on: Mar 17, 2026 | 2:37 PM

આજે કેટલાય યુવાનો તણાવ અનુભવે છે, મોબાઈલ કે લેપટોપનો વપરાશ કર્યા પછી સમયસર ઊંધ નથી આવતી. જમ્યા પછી ડાબા પડખે સુવુ જોઈએ કે જમણા પડખે ? એવો પ્રશ્ન અનેક લોકો પુછતા હોય છે. આવા અનેક સવાલ અને સમસ્યાનો ઉકેલ જાણો નિષ્ણાંત તબીબ પાસેથી.

આજકાલ સ્પર્ધાત્મક, ભાગદોડ અને તણાવભર્યા માહોલ વચ્ચે યુવાઓ સહિત અનેક લોકોની ઊંધ હરામ થઈ ગઈ છે. શિક્ષણ, કારકિર્દી, વ્યવસાયિક કે નોકરીમાં દબાણ કે અન્ય સમસ્યાને કારણે લોકોને બરાબર અથવા તો ગાઢ ઊંધ આવતી નથી. આવા સમયે શુ કરવું જોઈએ તેવો સવાલ સૌ કોઈને થાય એ સ્વાભાવિક છે.

આજે કેટલાય યુવાનો તણાવ અનુભવે છે, મોબાઈલ કે લેપટોપનો વપરાશ કર્યા પછી સમયસર ઊંધ નથી આવતી. જમ્યા પછી ડાબા પડખે સુવુ જોઈએ કે જમણા પડખે ? એવો પ્રશ્ન અનેક લોકો પુછતા હોય છે. જેમ સેનામાં સૈન્ય જવાનોને ત્વરીત ઊંઘ આવે તે માટે એક ટીપ્સ આપવામાં આવે છે. આ પ્રકારે ઊંધ લાવવા માટે એવો કયો રસ્તો અપનાવવો જોઈએ કે માત્ર પાંચ મીનિટમાં જ ઊંધ આવે. નાઈટ શિફ્ટમાં કામકાજ કરનારાઓની ઊંધ લેવાની સાયકલ ખોરવાઈ જાય છે. આવી સ્થિતિમાં શું કરી શકાય ? દરરોજ કેટલા કલાકની ઊંઘ સ્વસ્થ જીવન માટે જરૂરી છે ? સૂતા પહેલા મોબાઇલ અથવા સ્ક્રીનનો ઉપયોગ ઊંઘ પર કેટલો પ્રભાવ પાડે છે? સારી અને ગાંઢ ઊંઘ માટે રોજિંદી જીવનશૈલીમાં કયા ફેરફાર જરૂરી છે? આજકાલ યુવાનોમાં ઊંઘ ન આવવાની મુખ્ય કારણો કયા છે? આવા અનેક સવાલ અને સમસ્યાનો ઉકેલ આપણને એપોલો હોસ્પિટલના વરિષ્ઠ ડોકટર કોમલ ઝાલા આપી રહ્યાં છે.

બપોરે સૂવું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે ખરાબ? જાણો એક્સપર્ટ પાસેથી