Maharashtra: મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ, હવામાન વિભાગે 4 જીલ્લા માટે આપ્યું ‘ઓરેન્જ’ એલર્ટ, જુઓ Video

ભારે વરસાદને કારણે શહેરના નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ ગયા છે. મુંબઇમાં સવાર સુધી છેલ્લા 24 કલાકમાં શહેરમાં 100 મીમી જેટલો વરસાદ નોંધાયો. IMDએ 20 જુલાઈએ ઠાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓ માટે 'ઓરેન્જ' એલર્ટ અને મુંબઈ માટે 'યલો' એલર્ટ જાહેર કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 2:05 PM

મહારાષ્ટ્રને (Maharashtra) મેઘરાજાએ બરાબરનું ઘમરોળ્યું છે. મુંબઇ (Mumbai) શહેર અને તેની આસપાસના જિલ્લામાં આજે પણ વરસાદનું જોર અકબંધ રહ્યું છે. ભારે વરસાદને (Heavy Rain) કારણે શહેરના નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઇ ગયા છે. મુંબઇમાં સવાર સુધી છેલ્લા 24 કલાકમાં શહેરમાં 100 મીમી જેટલો વરસાદ નોંધાયો. IMDએ 20 જુલાઈએ ઠાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓ માટે ‘ઓરેન્જ’ એલર્ટ અને મુંબઈ માટે ‘યલો’ એલર્ટ જાહેર કર્યું છે.

અનેક ટ્રેનો રદ કરવામાં આવી

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદને કારણે શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ભારે વરસાદને કારણે લાંબા અંતરની ટ્રેનો પર પણ વિપરીત અસર પડી છે. અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે અથવા તો ટૂંકા અંતરે ટર્મિનેટ કરવામાં આવી છે કે અન્ય રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે.

ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા

વરસાદને કારણે વૃક્ષોની ડાળીઓ પડી જવાની 26 ઘટનાઓ નોંધવામાં આવી, સાથે જ શહેરમાં ઈમારતોની દિવાલ ધરાશાયી થવાની 4 ઘટનાઓ અને શોક સર્કિટની 13 ઘટનાઓ નોંધાઈ છે. મહારાષ્ટ્રના થાણે અને પાલઘર જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ પણ વાંચો : Breaking News : રાયગઢમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, 4ના મોત, 100 લોકો ફસાયા, જુઓ Video

મહારાષ્ટ્રમાં અનેક જિલ્લામાં 4 થી 6 ઇંચ વરસાદ પડ્યો છે. જેના પગલે થાણેના નીચાણવાળા વિસ્તારોમાંથી 250થી વધુ પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા. થાણેના ઉલ્હાસ, અંબા, સાવિત્રી અને પાતાલગંગા સહિત અનેક નદીઓ વહેતી થઈ હતી. થાણેમાં, ઉલ્હાસ, કાલુ અને મુરબારી નદીઓ પરના કેટલાક પુલ ડૂબી ગયા છે. કલ્યાણ તાલુકાના મોર્યા નગરના લગભગ 60 પરિવારો અને થાણેના અંબરનાથ વિસ્તારમાં એક વરિષ્ઠ નાગરિકને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">