હિંમતનગરના મોતીપુરામાં ટ્રકની અડફેટે મહિલાનું મોત, હાઇવેના અધૂરા કાર્યને લઈ જોખમી સ્થિતિ

|

Feb 10, 2024 | 9:21 AM

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરની એન્ટ્રીમાં જ ઓવરબ્રિજનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી લટકી રહ્યુ છે. જેને લઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ સહિત જોખમી વાહન વ્યવહાર ધરાવતી સ્થિતિ બની છે. જેને લઈ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ વિસ્તારમાં એક મહિલાએ અકસ્માતમાં જીવ ગુમાવતા લોકોનો રોષ વ્યાપ્યો છે.

હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેના અધૂરા કાર્યને લઈ સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઇ ચૂક્યા છે. વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ પણ જેને લઈ વધ્યુ છે. આવી જ રીતે મોતીપુરા વિસ્તારમાં એક ટ્રકની નિચે કચડાઇ જતા મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

આ પણ વાંચો:  સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર મહિલા અને ત્રણ વર્ષનો માસૂમ પુત્ર નિચે પડ્યા હતા. જેમાં બાઇક સવાર મહિલા ચંપાબેન રાઠોડ પર ટ્રકનું ટાયર ફરી વળવાને લઈ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે માસુમ બાળકને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. અકસ્માતના પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 9:20 am, Sat, 10 February 24

Next Video