આજનો દિવસ મહુડીમાં કેમ ખાસ ? ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિનું મહત્વ
વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે 12.39 કલાકે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે.
ગાંધીનગરથી નજીક આવેલા સુપ્રસિદ્ધ મહુડીમાં કાળી ચૌદસના દિવસે મહા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહુડી ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે, જે તેજા કાળી ચૌદસના દિવસે જ પૂજા અર્ચના અને હવન કરવામાં આવે છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરની વરખ બદલવાની વિધિ કાળી ચૌદસના દિવસે કરવામાં આવે છે. યજ્ઞ સમયે મહુડીના મંદિરે 108 વાર ઘંટ વગાડવામાં આવે છે. દરેક ઘંટના નાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવે છે. આહુતીના સમયે મંદિર પરીસરમાં હાજર ભક્તો દરેક આવતી સમયે દોરી પર એક ગાંઠ બાંધે છે.
વર્ષમાં એક જ વાર કાળી ચૌદશે ઘંટાકર્ણ વીરની પ્રક્ષાલની વિધી કરાય છે. જેમાં વીરના જમણા અંગુઠે કેસર પૂજા કરવામાં આવે છે. બપોરે 12.39 કલાકે મોટી પૂજાવિધી થાય છે. આ દિવસ શ્રદ્ધાળુઓ માટે ખાસ હોય છે. આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 કલાકે 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. વીરના સંગે સમગ્ર વાતાવરણ ભકિતના રંગથી રંગાઇ જાય છે.
આ પણ વાંચો : દિલ્હીમાં થશે ભાજપની ‘મહાબેઠક’, PM મોદી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ સામેલ થશે, 300 નેતાઓ રહેશે હાજર, આ છે બેઠકનો એજન્ડા
આ પણ વાંચો : તાલિબાને અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારાઓને સજા થશે