Video : અમદાવાદમાં શાહીબાગ આગ દુર્ઘટના બાદ ફરી ફાયર વિભાગની તપાસ, 608 હાઇરાઇઝ બિલ્ડિંગના ગટર, પાણી અને વીજ જોડાણ કપાશે

અમદાવાદમાં શાહીબાગ આગ દુર્ઘટના બાદ ફરી NOCનું ભૂત તંત્રમાં ફરી ધુણ્યું છે અને કોર્પોરેશને શહેરની 608 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 9:47 AM

અમદાવાદના શાહીબાગમાં ફ્લેટમાં કિશોરીના મોત બાદ કોર્પોરેશનને NOC યાદ આવી છે. અકસ્માતના પગલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થતા  ફરી NOCનું ભૂત ધુણ્યું છે અને કોર્પોરેશનને શહેરની 608 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. NOC વિનાની 608 હાઇરાઇઝ બિલ્ડિંગના ગટર, પાણી અને વીજ જોડાણ કપાશે. જેના માટે હાઇરાઇઝ 24 બિલ્ડિંગોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. આગામી 16 જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં વારંવાર નોટિસ છતાં NOC નહીં લેનારાના સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને જેલ થશે.

ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં લાગી હતી આગ

મહત્વનું છે કે 7 જાન્યુઆરીના રોજ શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગમાં ફસાયેલા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું. આ ઘટનામાં શરૂઆતમાં 2 ભાઈ ફસાયા હતા. જે પછી આગ ઓલવવા માટે ફાયરની કુલ 15 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગમાંથી એક મહિલાને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આગની ઘટનામાં કુલ પાંચ લોકો ફસાયા હતા. તે પૈકી એક બાળકીને પણ રેસક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. ઉપરાંત ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">