રાહુલ ગાંધીના હિન્દૂ ધર્મને લઈ સાંસદમાં કરવામાં આવેલા નિવેદનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દૂ ધર્મને લઈ કરવામાં આવેલા નિવેદન પ્રત્યાઘાત સાબરકાંઠામાં પણ પડ્યા હતા. સાબરકાંઠામાં વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો અને આગેવાનો સહિતનાઓએ હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યાલય સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.
વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીનું પુતળુ લઈને હિંમતનગર કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં કાર્યાલય બહાર ટાવર-જૂની જિલ્લા પંચાયત રોડ પર જાહેરમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય પર કાળી શાહી છાંટી હતી. કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસની ટીમો સ્થળ પર દોડી આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો