ગુજરાતમાં માવઠામાં થયેલ પાક નુકસાનની ખેડૂતોને સહાય નહિ મળે

નવા નિયમ મુજબ જો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે વરસાદ પડે તો જ પાક નુકસાન વળતર મળે તેમ છે. તેથી હવે 17થી 19 નવેમ્બરે વચ્ચે થયેલા વરસાદમાં સહાય નહિ મળે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 10:29 AM

ગુજરાતમાં(Gujarat) છેલ્લા બે દિવસથી થઈ રહેલા માવઠાને(Unseasonal Rain) પગલે ખેડૂતોના(Farmers) પાકને નુકસાન થયું છે. જો કે રાજ્યના માવઠાની સહાયમાં નવા નિયમોના કારણે ખેડૂતોને લાભ નહિ મળે. જેમાં કટ ઓફ ડેટ પછી માવઠું થતા CM કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે.

આ નવા નિયમ મુજબ જો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે વરસાદ પડે તો જ પાક નુકસાન વળતર મળે તેમ છે. તેથી હવે 17થી 19 નવેમ્બરે વચ્ચે થયેલા વરસાદમાં સહાય નહિ મળે. તેમજ માવઠાને લીધે પાસ, ડાંગર, મગફળી, બાજરી, તલ સહિતના પાકોને નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં લૉ-પ્રેસરના કારણે ગુજરાતના(Gujarat) હવામાનમાં(Weather)છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે. તેમજ સમગ્ર રાજ્યના વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ(Unseasonal Rain)પણ પડી રહ્યો છે.

જેમાં શુક્રવારે રાજ્યના 60 જેટલા તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં 3.5 ઈંચ વરસાદ થયો હ. તોજ્યારે પાલનપુરમાં 3 ઈંચ, દાંતામાં 2.5 ઈંચ વરસાદ ખબક્યો હતો.

આ ઉપરાંત વડગામમાં 2.3 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કાંકરેજ, થરાદ, દિયોદર, ધાનેરામાં પણ દોઢ ઈંચ વરસાદ થયો હતો. તેમજ માવઠાના કારણે ખેડૂતોને(Farmers)મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. એમાં પણ બટાકા માટે જાણીતા બનાસકાંઠામાં તો રવી સીઝનના વાવેતરને હજુ ગણતરીના દિવસો જ થયા છે.ત્યારે અચાનક આવેલા માવઠાંથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ ઉપરાંત રાજયના અનેક માર્કેટ યાર્ડ ખેડૂતોના પડેલા તૈયાર પાકને પણ નુકશાન થયું છે.

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ શનિવારે કરશે અમદાવાદમાં ઉમિયાધામનું ભૂમિપૂજન

આ પણ વાંચો : દેવ દિવાળીએ વિરમગામ શહેરનું ઐતિહાસિક મુનસર તળાવ 1111 દિવડાઓથી ઝળહળી ઉઠ્યું

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">