અંબાજી પર્વત પર સતત 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ, વેપારીઓએ લીધો રાહતનો શ્વાસ- Video

અંબાજી પર્વત પર સતત છેલ્લા 21 દિવસથી રીંછે ધામા નાખ્યા હતા અને અલગ અલગ જગ્યાએ આંટાફેરા કરતુ જોવા મળી રહ્યુ હતુ. જેને લઈને વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હાલ ભાદરવી પૂનમના મેળાની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી હતી. જો કે વનવિભાગના પ્રયાસોથી આખરે આ રીંછ પાંજરે પુરાઈ જતા વનવિભાગ અને વેપારીઓ સહિત સહુ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2024 | 5:53 PM

અંબાજી પર્વત પર સતત 21 દિવસથી રીંછ અલગ-અલગ જગ્યાએ દેખા દેતું હતું..આખરે વનવિભાગને રીંછને પાંજરે પુરવામાં સફળતા મળી છે. ભાદરવી પૂનમના મેળા નિમિત્તિ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવતા હોય છે. આવા સમયે રીંછના હુમલાની ભીતિ હતી. પરંતુ વનવિભાગે મેગા ઑપરેશન કરીને રીંછનું રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડ્યું છે. ગબ્બર પર રીંછને પકડવા માટે 5 કલાકની મહેનત બાદ ટીમ દ્વારા રીંછને ગઈ રાત્રે પકડી પાડવામાં આવ્યુ હતું. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સ્ટેંક્યું ગનથી બેભાન કરી રીંછનું રેસ્કયૂ કરાયું હતું.

સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંછ આંટાફેરા કરતુ હતુ. ત્યારે ગબ્બર પર આવતા યાત્રીકોની સુરક્ષાને લઇને સવાલો ઊભા થયા હતા. ત્યાર બાદ ગઈકાલે સવારથી જ રેસ્ક્યૂ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનીટરીંગ અને વોચ રાખી આખરે રીંછનું રેસક્યૂ કરાયું હતું.

રીંછ પાંજરે પુરાતા હવે અંબાજીના વેપારીઓએ રાહત અનુભવી છે કારણ કે રીંછના હુમલાની ભીતિના કારણે કેટલીક જગ્યાએ વેપારીઓ દુકાનો ખોલતા ન હતા.  કેટલીક જગ્યાએ રીંછે માલ-સામાનને નુક્સાન કર્યાનું પણ સામે આવ્યું હતું

અંબાજીમાં ભાદરવી પૂનમ પર લાખો ભક્તો આવે છે. પ્રવાસીઓ અને પગપાળા ચાલીને આવતા ભક્તોને હવે રાહત મળી છે કારણ કે વનવિભાગે રીંછનું રેસ્ક્યૂ કરી લીધું હોવાથી હવે કોઈ હુમલાની ભીતિ નથી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">