ખંભાળિયામાં આવેલો અંગ્રેજોના જમાનાનો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત છે. જેના કારણે પુલ પર અવર-જવર બંધ કરી દેવામાં આવી છે..નદીના પટમાં ડાયવર્ઝન કાઢીને પુલ અચાનક બંધ કરી દેવાયો છે. હવે ચોમાસામાં નદીના પટમાં ડાયવર્જન આપવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે આ રસ્તા પર કિચડ જ કિચડ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ખાડમાં પાણી ભરેલું હોવાથી રસ્તો પાર કરતા-કરતા વાહનચાલકોને પરસેવો છૂટી જાય છે. કારણ કે જરા પણ ચૂક થાય તો વાહનચાલક કિચડમાં ગબડી પડે તેવી સ્થિતિ છે.
આસપાસના ગ્રામજનો, શાળાએ જતા વિદ્યાર્થીઓ આ રસ્તા પર અવર-જવર કરે છે. ચોમાસુ હોવાથી સતત પાણી રહે છે. આવી સ્થિતિમાં રસ્તો પાર કરવામાં અગવડ જ અગવડ છે. રસ્તામાં એટલું બધું કિચડ અને ખાડા છે કે. પગપાળા રસ્તો પાર કરવો શક્ય જ નથી. ત્યારે સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે પુલ ટૂવ્હિલરચાલકો માટે ખૂલ્લો મુકવામાં આવે અથવા જલદી પાકો રસ્તો બનાવવામાં આવે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો