સુરત: કાપોદ્રાની કિરણ જેમ્સના રત્નકલાકારોને છુટા કરાયાનો આક્ષેપ કરાયો છે. 100થી વધુ કારીગરોને અન્ય કંપનીમાં ટ્રાન્સફર કરતા વિરોધ થયો છે. ઉલ્લેખનીય છે કે હીરા ઉદ્યોગ છેલ્લા ઘણાં સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે.
કામદારોનો આક્ષેપ છે કે કોઈ કારણ જાહેર કર્યા વગર તેમને ટ્રાન્સફર કરાયા છે. 15 વર્ષથી કારીગરો કિરણ જેમ્સમાં કરતા કામ હતા જેમને હવે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી કંપનીમાં નિમણૂકથી ગ્રેચ્યુટી સહિતના લાભ ગુમાવવાનો રત્નકલાકાર ભય વ્યક્ત કરી રહયા છે. કામદાર તેમને ત્રણ મહિનાનો પગાર અને ગ્રેચ્યુટી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: સુરત : વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર ત્રણ કરોડનો વ્યવહાર કરનાર મેનેજરની ધરપકડ કરાઈ, જુઓ વિડીયો