સુરત: કબૂતરના ચરકથી ફેફસામાં ઇન્ફેકશન થતાં વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘોડદોડ રોડ પર રહેતા 68 વર્ષના વૃદ્ધનું ઇન્ફેક્શનના કારણે મોત નીપજ્યું હતું. ન્યૂમોનિયાના કારણે મોત નીપજ્યું હોવાનું તબીબોએ તારણ કાઢ્યું છે.
વૃદ્ધ રોજ પૂજાપાઠ બાદ ટેરેસમાં કબૂતરને ચણ નાંખતા હતા.પંકજ દેસાઈને હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયાનું ઈન્ફેક્શન થયું હતું. હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયા કબૂતરની ચરખના લીધે થાય છે.
68 વર્ષીય વૃદ્ધ પંકજ દેસાઈ હાયપર સેન્સિટિવિટી ન્યૂમોનિયા ઈન્ફેક્શનના કારણે મૃત્યુ પામ્યા હતા. કબૂતરની ચરકના કારણે ફેફસામાં આ ઈન્ફેક્શન થાય છે.
આ પણ વાંચો : સુરત : ચોરે પહેલા શીશ ઝુકાવ્યું અને પછી મંદિરની દાનપેટી તોડી ચોરી કરી, જુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનાના વીડિયો
Published On - 2:02 pm, Wed, 17 January 24