સુરતમાં રામ મંદિર પ્રતિકૃતિનો નેકલેશ અને સોના ચાંદીની રામ દરબારની ઝાંખી તૈયાર કરાઈ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 29, 2023 | 3:07 PM

સુરત : જાન્યુઆરી 2024માં અયોધ્યમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશભરમાં રામલલાના મંદિરને લઈને ભારે ઉત્સાહ છે.સુરતના જ્વેલર્સે રામ મંદિરની પ્રતિકૃતિનો હાર બનાવીને રામ મંદિરની સ્મૃતિને ઘરેણાની કળાથી અંકિત કરી છે.

સુરત : જાન્યુઆરી 2024માં અયોધ્યમાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશભરમાં રામલલાના મંદિરને લઈને ભારે ઉત્સાહ છે.સુરતના જ્વેલર્સે રામ મંદિરની પ્રતિકૃતિનો હાર બનાવીને રામ મંદિરની સ્મૃતિને ઘરેણાની કળાથી અંકિત કરી છે.

આ હાર જોઈને લાગે છે કે કલાકારોએ સોનાના અક્ષરને બદલે સોનાના આભૂષણથી જ ઈતિહાસ લખી દીધો છે. 40 કલાકારોની એક મહિનાની મહેનત બાદ આ હાર તૈયાર થયો છે. હારના નિર્માણમાં 2 કિલો સોનું અને ચાંદીનો ઉપયોગ થયો છે.આ ઉપરાંત 5 હજારથી વધુ નંગ હીરાનું જડતર કામ કરાયું છે.હારની સાથે ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિ પણ તૈયાર કરવામાં આવી છે.આભૂષણ કાળાના ઉત્તમ નમૂના સમાન આ હારને રામ મંદિરમાં ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે.હાલ રામ મંદિરની પ્રતિકૃતિ એવો આ હાર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 19, 2023 12:25 PM