Dwarka : મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સલામતીના પગલે દ્વારકાનો સુદામા સેતુ પુલ બંધ કરાયો

|

Oct 31, 2022 | 7:02 PM

ગુજરાતના મોરબીમાં રવિવારે બનેલી બ્રિજ દુર્ઘટનામાં 136 લોકોના મોત થયા છે. જેમાં પ્રાથમિક તારણ મુજબ બ્રિજ વધારે પડતી ભીડના કારણે તૂટી પડ્યો હતો. જેના પગલે દ્વારકામાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ કલેકટરના આદેશથી ગોમતીઘાટ પાસે આવેલ સુદામા સેતુ પુલ બંધ કરાયો છે.

ગુજરાતના મોરબીમાં રવિવારે બનેલી બ્રિજ દુર્ઘટનામાં 136 લોકોના મોત થયા છે. જેમાં પ્રાથમિક તારણ મુજબ બ્રિજ વધારે પડતી ભીડના કારણે તૂટી પડ્યો હતો. જેના પગલે દ્વારકામાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ કલેકટરના આદેશથી ગોમતીઘાટ પાસે આવેલ સુદામા સેતુ પુલ બંધ કરાયો છે. સુદામા સેતુ ઉપરથી હજારો યાત્રિકો દરરોજ સામા કાઠે પંચકુઇ વિસ્તારમાં ફરવા જતા હોય છે. આજે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇને સુદામા સેતુ પરથી અવર જવર બંધ કરાઇ.

Published On - 7:00 pm, Mon, 31 October 22

Next Video