મહીસાગર : એસટી બસ ન આવતી હોવાથી લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર, જુઓ વીડિયો

મહીસાગર : એસટી બસ ન આવતી હોવાથી લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 02, 2023 | 4:59 PM

ભાગલિયા ગામમાં એસટી બસ આવતી જ નથી. ગામમાં એસટી બસ આવતી થાય અને વિદ્યાર્થીઓ સહિત મુસાફરો સુરક્ષિત મુસાફરી કરી શકે તે માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ભાગલિયા ગામના ડેપ્યુટી સરપંચ જાકીર પઠાણ સહિત અનેક લોકોએ એસટી તંત્રને બસ મૂકવા માટે રજૂઆત કરી છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે.

મહીસાગરમાં એસટી બસ તંત્રની નિષ્કાળજીના કારણે શાળાના વિદ્યાર્થીઓ જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો કડાણા તાલુકાના ભાગલિયાથી મલેકપુર રોડનો છે. એક જીપમાં ક્ષમતા કરતા વધુ લોકોને ભરવામાં આવ્યા છે.

ભાગલિયા ગામમાં એસટી બસ આવતી જ નથી. ગામમાં એસટી બસ આવતી થાય અને વિદ્યાર્થીઓ સહિત મુસાફરો સુરક્ષિત મુસાફરી કરી શકે તે માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે. ભાગલિયા ગામના ડેપ્યુટી સરપંચ જાકીર પઠાણ સહિત અનેક લોકોએ એસટી તંત્રને બસ મૂકવા માટે રજૂઆત કરી છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર છે. શાળાએ જવા-આવવા માટે બસની સુવિધા ન હોવાના કારણે આ રીતે જોખમી સવારી રોજ કરવી પડે છે.

આ પણ વાંચો મહીસાગર જિલ્લાના 188 શિક્ષકો થયા નિવૃત્ત, શિક્ષણમંત્રીએ કહ્યું- નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે

તો બીજી તરફ એસટી નિગમે સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે. એસટી નિગમના ઈન્ચાર્જ સચિવે કહ્યું કે ઘટનાની તપાસ કરાવી ડેપો સાથે સંકલન કરીને સમસ્યા દૂર કરાશે. રાજ્યમાં જ્યાં-જ્યાં આવી ફરિયાદો ધ્યાનમાં આવી છે, ત્યાં તબક્કાવાર નવી બસો મૂકવામાં આવશે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો