Gujarat Video : સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર પોલીસ પર પથ્થરમારો, DySP સહિતના સ્ટાફની હાજરીમાં બની ઘટના

|

Jun 08, 2023 | 9:13 AM

સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ખાતે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારા બાદ પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પર પથ્થરમારો કરનાર બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

Surendranagar : સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ખાતે પોલીસ પર પથ્થરમારાની ઘટના બની હતી. પથ્થરમારા બાદ પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પર પથ્થરમારો કરનાર બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. સાથે જ પથ્થરમારો કરવા માટે આવેલા લોકોના વાહન પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Surendranagar: ખેત પેદાશોના ભાવ નક્કી કરવા ખેડૂતોની માગ, પોષણક્ષમ ભાવ મળવા મુદ્દે ખેડૂતોએ શું કહ્યું, જુઓ Video

DySP સહિતના સ્ટાફની હાજરીમાં સ્થાનિકો દ્વારા કરાયો પથ્થરમારો

રિવરફ્રન્ટ ખાતે દબાણ હટાવવા જતા પોલીસ પર પથ્થરમારો થયો હતો અને DySP સહિતના સ્ટાફની હાજરીમાં સ્થાનિકો દ્વારા જ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. હવે પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video