સુરતના સૈયદપુરમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બની ત્યારબાદ આવી ઘટના રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ન બને તે માટે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એકશન પ્લાન તૈયાર કર્યા છે. મોટા ગણેશ વિસર્જનમાં SRP, RAF, CRPને તૈનાત કરવામાં આવશે.
વિસર્જનના રુટ પર 30 PI અને ACP ખડેપગે રહેશે. તેમજ 5 DCP, 700 ASI અને અન્ય પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવશે. સમગ્ર વિસર્જન રુટ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. અસામાજીક તત્વોના મોબાઈલ સર્વેલન્સમાં મુકાયા છે.
બીજી તરફ આ અગાઉ કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જરોદર ગામે ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયો હતો.પથ્થરમારો કરી અસામાજિક તત્વોએ ગણપતિની મૂર્તિ ખંડિત કરી હતી. કોટડા જડોદર ગામે મૂર્તિ પર પથ્થર ફેંકી મૂર્તિ તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
Published On - 3:37 pm, Sat, 14 September 24