સુરત-ઉધના સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર, જુઓ Video
નોન ઇન્ટરલોકિંગ કામના કારણે 35થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. 2 ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. તો 1 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે એક ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે.
પશ્ચિમ રેલવેના (Western Railway) સુરત-ઉધના સ્ટેશનો વચ્ચેની ત્રીજી લાઇનના સુરત યાર્ડ સાથે કનેક્ટિવિટી સંબંધે નોન ઇન્ટરલોકિંગ કામના કારણે 25થી 28 ઓગસ્ટ સુધી અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થઇ છે. ખાસ કરીને અમદાવાદ-મુંબઈ વચ્ચેની ટ્રેન સેવાને મોટી અસર થઈ છે.
નોન ઇન્ટરલોકિંગ કામના કારણે 35થી વધુ ટ્રેન રદ કરવામાં આવી છે. 2 ટ્રેન શોર્ટ ટર્મિનલ કરવામાં આવી છે. તો 1 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે એક ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરાયો છે. આ નિર્ણયના કારણે અમદાવાદથી મુંબઇ રૂટ સાથે સૌરાષ્ટ્ર, ભુજ તેમજ મધ્ય ગુજરાતની ટ્રેનોને અસર થશે. તેમાં પણ મુંબઇ અમદાવાદ સૌથી વ્યસ્ત રૂટ છે. આ રૂટ પર દરરોજ હજારો મુસાફરો મુસાફરી કરતા હોય છે. ત્યારે આવા તમામ લોકોને મુશ્કેલી પડશે. આ લોકોને હવે 25થી 28 ઓગસ્ટ સુધી મુસાફરી માટે અન્ય વિકલ્પ શોધવો પડશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
