Gujarati Video: અમદાવાદના આ વિસ્તારોમાં નહીં મળે પાણી, બુલેટ ટ્રેનની કામગીરી વખતે તૂટી પાણીની લાઇન
અમદાવાદના પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ભર ચોમાસે પાણીકાપ મુકવામાં આવ્યો છે. શહેરના પશ્ચિમ ઝોનના નારણપુરા, નવરંગપુરા, નવા વાડજ, પાલડી, સાબરમતીમાં પાણી કાપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર કેશવનગરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ હોવાથી પાણીકાપ મુકવામાં આવશે.બુલેટ ટ્રેનની કામગીરી પાણીની લાઈન તૂટી હતી.
Ahmedabad : અમદાવાદના પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં ભર ચોમાસે પાણીકાપ મુકવામાં આવ્યો છે. શહેરના પશ્ચિમ ઝોનના નારણપુરા, નવરંગપુરા, નવા વાડજ, પાલડી, સાબરમતીમાં પાણી કાપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર કેશવનગરમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ હોવાથી પાણીકાપ મુકવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad : સુતળી બોમ્બ નહીં, પરંતુ મચ્છર ભગાવવા AMCએ કર્યો સુતળી બોલનો ઉપયોગ, જુઓ Photos
બુલેટ ટ્રેનની કામગીરી પાણીની લાઈન તૂટી હતી. AMCના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઈપ લાઈનનું કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરીના પગલે આવતીકાલ સુધીમાં સ્થિતિ સામાન્ય થવાની શક્યતા છે.
તો બીજી તરફ આ અગાઉ સુરતના જહાંગીરપુરા સંગીની ગાર્ડનીયામાં પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓ રોષે ભરાઈ હતી. મહિલાઓ દ્વારા ખાલી પાણીના બેડા અને ડોલ લઈને વિરોધ નોંધાવ્યો હતો.
