વલસાડના 10 ગામને દરિયો ગળી જશે, દર વર્ષે સમુદ્ર આગળને આગળ જ વધી રહ્યો છે, જુઓ વીડિયો

વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા 10 ગામ ઉપર નષ્ટ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આ 10 ગામને અરબી સમુદ્ર ગળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 18 વર્ષથી અરબી સમુદ્ર, દરિયાકાંઠાના ગામ તરફ આગળને આગળ જ વધી રહ્યો છે.

| Updated on: Jul 25, 2024 | 3:33 PM

દક્ષિણ ગુજરાતના વલસાડના દરિયાકાંઠે આવેલ એવા કેટલાક ગામ છે, જે અરબી સમુદ્રમાં ગરકાવ થઈ જશે. આજે વલસાડ જિલ્લાના સમુદ્ર કાંઠે આવેલા 10 ગામ ઉપર નષ્ટ થવાનું સંકટ તોળાઈ રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી અરબી સમુદ્ર કાંઠા વિસ્તારના ગામ તરફ આગળ ઘપી રહ્યો છે. પંદર વર્ષ પહેલા જ્યા ગામની જમીન જોવા મળતી હતી ત્યાં આજે દરિયાના પાણી જ પાણી જોવા મળે છે. ગામની જમીન દરિયામાં ગરકાવ થઈ ગઈ છે.

સ્થાનિકોનું કહેવું છે કે, ગામને હજુ પણ બચાવવા હોય તો, દરિયાકાંઠે પ્રોટેકશન વોલ બનાવવી જોઈએ. જેથી દરિયો જે ઝડપે દરિયાકાંઠાના ગામ તરફ આગળ વધી રહ્યો છે કે આગળ વધતો અટકે. આ વિસ્તારમાં ચોમાસામાં સૌથી કફોડી સ્થિતિ સર્જાય છે.

વલસાડના દાતીગામના રહીશોના ઘર સુધી દરિયાના પાણી ઘુઘવે છે. ચોમાસામાં ઉછળતા ઊચા મોજા ગ્રામ્ય વિસ્તારના ઘરો ઉપર અથડાય છે. ચોમાસામાં લોકો ભયના માર્યા ઘર છોડીને અન્યત્ર રહેવા ચાલ્યા ગયા છે. જો આવી જ સ્થિતિ રહી તો આગામી પાંચ સાત વર્ષમાં ગામની જગ્યાએ માત્ર દરિયાના પાણી જ જોવા મળશે.

વલસાડના દાંતી ગામની ભૌગોલીક સ્થિતિ એવી છે કે, સૌથી પહેલુ આ ગામ જ દરિયામાં ગરકાવ થઈ જશે. એક તરફ અંબિકા નદી અને ખાડી છે તો બીજી તરફ અરબી સમુદ્ર છે. સ્થાનિકોના જણાવ્યાનુંસાર, ચોમાસામાં થતા ધોવાણને પગલે, છેલ્લા પાંચ વર્ષમાં અરબી સમુદ્ર બે કિલોમીટર જેટલો અંદર આવી ગયો છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે, અંબિકા નદીના પટમાં ગેરકાયદે થતા રેતીના ખનનને કારણે દરિયો વધુ આગળ વધી રહ્યો છે. જો સરકારી તંત્ર દરિયાકાંઠે પ્રોટેકશન વોલ બનાવે અને અંબિકા નદીમાં ચાલતા ગેરકાયદે રેતી ખનને અટકાવે તો દરિયો જે ઝડપે આગળ વધી રહ્યો છે તેની ઝડપ ઓછી થાય અને ગામના અસ્તિત્વ સામે જે જોખમ ઊભુ થયુ છે તે દૂર થાય.

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">