નવરાત્રીમાં માતાજીના આરાધનાના દિવસો હોય છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ક્રાઈમની ઘટનાઓ બહાર આવી રહી છે. અમદાવાદના સોલાના માંગલ્ય પાર્ટી પ્લોટમાં મારામારીની ઘટના બની હતી. પાસ મુદ્દે આયોજકો અને ખેલૈયાઓ વચ્ચે મારામારી થઈ હતી. ફોર સિઝન ઈવેન્ટમાં 20 થી 25 આયોજકો પર મારામારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ સોલા પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. સોલા પોલીસે 8 થી 10 લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. ભોગ બનનારની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો.
બીજી તરફ ગાંધીનગરના કલોલમાં ગરબાને લઈ માથાકૂટ મોતમાં પરિણમી છે. કસ્તુરીનગરમાં ગરબા બાબતે 15 શખ્સોએ બે ભાઈ પર હુમલો કર્યો હતો. છરીથી હુમલો કરતા એક યુવકને ગંભીર ઈજા થતા મોત નીપજ્યું.અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગરબામાં બોલાચાલી બાદ 15 લોકોએ હુમલો કર્યો હતો. પોલીસે હાલ 15માંથી ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. ઘટનાની જાણ થતા જ DySP, PI સહિતની ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
Published On - 3:38 pm, Wed, 9 October 24