Gir somnath: પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે કરાયુ રિહર્સલ, સમુદ્ર કિનારે મશાલ પરેડ યોજાઇ

આ વર્ષે 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 9:24 AM

પ્રજાસત્તાક પર્વ (Republic Day) એટલે કે 26 જાન્યુઆરીને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ગીરસોમનાથ (Girsomnath)ના સદભાવના ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ (Rehearsal) કરવામાં આવ્યુ. ગીર સોમનાથમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત રીતે થાય તે માટે રિહર્સલ કરાયુ હતુ.

આ વર્ષે 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથમાં ધ્વજવંદન કરવાના છે. ત્યારે ગીરસોમનાથના જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની હાજરીમાં પરેડ અને ધ્વજવંદન કાર્યક્રમની રિહર્સલ કરાયુ. 10થી વધુ પ્લાટુન દ્વારા પરેડ યોજી ધ્વજને અને રાજ્યપાલને સલામી અપાઈ હતી.

તો સોમનાથના સમુદ્ર કિનારે ગુજરાત પોલીસ દ્વારા મશાલ પરેડ યોજાઈ. મશાલ પરેડમાં 300 જેટલા પોલીસ જવાનો હાજર રહ્યા હતા. જેમાં મશાલ દ્વારા ગુજરાત પોલીસ,જય હિન્દ, જય સોમનાથ તેમજ સાથિયાની પ્રતિકૃતિ બનાવી હતી.

કોરોનાની ગાઇડલાઇન સાથે થશે ઉજવણી

મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ગીર સોમનાથમાં હાજર રહેશે તો અન્ય મંત્રીઓ પણ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેવાના છે. કોરોનાને લીધે સિમિત લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.

આ પણ વાંચો-

Mehsana: કોરોના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિરના દ્વાર વધુ 7 દિવસ માટે ભક્તો માટે બંધ રાખવા નિર્ણય

આ પણ વાંચો-

Ahmedabad: ખારીકટ કેનાલમાં ગંદકી યથાવત, આસપાસના રહીશોને કોરોનાકાળમાં અન્ય રોગચાળો ફેલાવાનો ડર

 

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">