AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામકથા યાત્રાનો આજે છઠ્ઠો પડાવ, ઔંઢા નાગનાથ ધામે રામકથાનું આયોજન, જુઓ Video

રામકથા યાત્રાનો આજે છઠ્ઠો પડાવ, ઔંઢા નાગનાથ ધામે રામકથાનું આયોજન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 7:46 PM
Share

મોરારીબાપુની 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા આજે મહારાષ્ટ્ર પહોંચી હતી. મહારાષ્ટ્રના પરભણી સ્ટેશન પર મોરારીબાપુ અને શ્રદ્ધાળુઓનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

Morari Bapu Ram Katha: એક પછી એક પડાવ પર આગળ વધી રહેલી મોરારી બાપુની 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા આજે મહારાષ્ટ્ર પહોંચી હતી. અહીંના પ્રસિદ્ધ ઔંઢા નાગનાથ મહાદેવ ધામે આજે રામકથાનું આયોજન હતું. ત્યારે મહારાષ્ટ્રના પરભણી સ્ટેશન પર મોરારીબાપુ અને શ્રદ્ધાળુઓનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આવનારા ચાર દિવસ મહારાષ્ટ્રના જ વિવિધ જ્યોતિર્લિંગ ધામોમાં રામકથા થશે.

આ પણ વાંચો : કાશી વિશ્વનાથમાં મોરારી બાપુના સાનિધ્યમાં રામકથા, મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ, જૂઓ Video

“12 જ્યોતિર્લિંગ રામકથા” યાત્રાનો આજે દસમો અને જ્યોતિર્લિંગના સાનિધ્યે રામકથાનો આજે છ્ઠ્ઠો દિવસ હતો. ત્યારે મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લાના ઔંઢા નાગનાથ ધામે મોરારીબાપુએ ભક્તોને રામકથાનું શ્રવણ કરાવ્યું હતું. નાગેશ્વર જ્યોતિર્લિંગ કયુ છે, તે સંબંધિત અલગ-અલગ માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર ઔંઢાના નાગનાથ મહાદેવને પણ નાગેશ્વર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

ત્યારે આજે મહારાષ્ટ્રની ભૂમિ પર મોટી સંખ્યામાં મરાઠી ભાવિકોએ, વારકરી સંપ્રદાયના લોકોએ રામકથાના શ્રવણનો લાભ લીધો હતો. તો, મોરારીબાપુએ પણ ભક્તોને વચન આપ્યું હતું કે તેઓ ભવિષ્યમાં નાગનાથ ધામે નવ દિવસની કથાનું આયોજન કરશે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 31, 2023 07:45 PM
g clip-path="url(#clip0_868_265)">