Rajkot : ગણેશ મહોત્સવને લઇને મીઠાઇના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા
રાજકોટમાં (Rajkot)ગણેશ મહોત્સવને (Ganesh Mahotsav)લઇ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે (Health Department) મોદક અને મીઠાઈના ધંધાર્થીઓના ત્યાં તવાઈ બોલાવી છે.
રાજકોટમાં (Rajkot)ગણેશ મહોત્સવને (Ganesh Mahotsav)લઇ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે (Health Department) મોદક અને મીઠાઈના ધંધાર્થીઓના ત્યાં તવાઈ બોલાવી છે. આ લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં મોદકને લઈ તપાસ હાથ ધરી છે.આરોગ્યના અધિકારીઓએ મોરબી રોડ પર આવેલી જય અંબે જાંબુ અને કોઠારિયા રોડ પર આવેલા શિવ શક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોદકના નમૂના લીધા હતા.આ મોદકના નમૂના લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા છે.નમૂનાના રિપોર્ટ આવ્યા બાદ જો શંકાસ્પદ ચીજવસ્તુઓ જોવા મળશે તો તેની સામે ક઼ડક કાર્યવાહી કરાશે.