Rajkot Breaking News : દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ, SOGના દરોડામાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય! જુઓ Video

Rajkot Breaking News : દેશી ગાયના શુદ્ધ ઘીના નામે મોટું કૌભાંડ, SOGના દરોડામાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય! જુઓ Video

| Edited By: | Updated on: Sep 19, 2026 | 10:26 AM

રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં SOGની ટીમે દરોડો પાડીને 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કર્યું હોવાની માહિતી સામે આવી છે. દરોડા દરમિયાન ઘી ઉપરાંત વનસ્પતિ અને અન્ય પ્રકારના ઘીનો જથ્થો પણ મળી આવ્યો છે.

રાજકોટના કેવડાવાડી વિસ્તારમાં SOGની ટીમે દરોડો પાડીને 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળવાળું ઘી જપ્ત કર્યું હોવાની માહિતી સામે આવી છે. દરોડા દરમિયાન ઘી ઉપરાંત વનસ્પતિ અને અન્ય પ્રકારના ઘીનો જથ્થો પણ મળી આવ્યો છે.

સૂત્રો અનુસાર, ગાય અને અન્ય પશુઓના ઘીના નામે વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જયપ્રકાશ ચંદાણીના વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે તેના નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે.

2 લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો જપ્ત

SOG ની કાર્યવાહી દરમિયાન ડેપોમાંથી રૂ. 2 લાખથી વધુ કિંમતનો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તેમાં ત્રણ પ્રકારના લૂઝ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત, પેકિંગમાં વેચાતા ત્રણ પ્રકારના ઘી પણ શંકાસ્પદ જણાતા તેમના નમૂના લેવામાં આવ્યા છે.

આ જથ્થામાં ખાસ કરીને ગૌશાળાનું દેશી ગાયનું શુદ્ધ ઘી અને હોમમેડ ઘીનો સમાવેશ થાય છે. સૂત્રો અનુસાર, આ બંને પ્રકારનું ઘી વેપારી દ્વારા પોતે તૈયાર કરીને પેકિંગ કરી વેચવામાં આવતું હતું. હાલ આરોગ્ય વિભાગ દ્વારા ઘીના નમૂનાઓની તપાસ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘીમાં ખરેખર ભેળસેળ છે કે નહીં, તે લેબોરેટરી રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો, Breaking News : IIT બોમ્બેની હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં વિદ્યાર્થીનું મોત… આખરે રૂમમાં શું બન્યું હતું?

Follow Us
Loading...
Unable to load recommendations.