Rain effect : આણંદના કહાનવાડી ગામમાં પૂરના પાણીમાં લોકો ફસાયા, 50 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જુઓ Video
આણંદ જિલ્લાના આંકલાવ પાસે કહાનવાડી ગામ આવેલુ છે.આ ગામ નદી કિનારે જ આવેલુ છે.જેથી આ ગામના લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. લગભગ 50 લોકો ગામમાં પૂરના પાણીમાં ફસાયા હતા.આ અંગેની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
Anand : ઉપરવાસમાંથી ભારે વરસાદના (Rain) કારણે કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદી (Mahisagar river) ગાંડીતૂર બની છે. જેના પગલે ખેડા જિલ્લાના 12 ગામ અને આણંદ જિલ્લાના લગભગ 20 ગામ પૂરના પાણીથી પ્રભાવિત થયા છે. ઘણા ગામ સંપર્ક વિહોણા બન્યા છે.
આણંદ જિલ્લાના આંકલાવ પાસે કહાનવાડી ગામ આવેલુ છે.આ ગામ નદી કિનારે જ આવેલુ છે.જેથી આ ગામના લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. લગભગ 50 લોકો ગામમાં પૂરના પાણીમાં ફસાયા હતા.આ અંગેની જાણ આણંદ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે પછી NDRFની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યુ છે. તમામ લોકોને સલામત બચાવી લેવાયા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું

બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી

મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
