યાત્રાધામ અંબાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સતત ચોથા દિવસે વરસાદ વરસતા રાહત સર્જાયો છે. શુક્રવારે સવારે ધોધમાર વરસાદ વરસવાને લઈ મોટી રાહત વિસ્તારમાં છવાઈ છે.
વરસાદને લઈ માનસરોવરમાં પણ દોઢથી બે ફૂટ જળસ્તર ઊંચા આવ્યા છે. અંબાજી અને આસપાસના વિસ્તારમાં વરસાદને લઈ વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો છે અને હવે હરીયાળી પણ છવાઈ જશે.