સુરતના કામરેજમાં મળેલી પાટીદાર સમાજની બેઠકમાં સમાજના અગ્રણીઓએ સમાજ સામેની અનેક સમસ્યાઓ મુદ્દે ચર્ચા કરી હતી. જેમા આરોગ્ય અને શિક્ષણના મુદ્દે ભાર મુકવામાં આવ્યો. જેમા ખાસ કરીને પાટીદાર સમાજને શિક્ષણના લાભ મળતા ન હોવાનો આક્ષેપ કરાયો. દિવસે દિવસે એકતરફ શિક્ષણ મોંઘુ થઈ રહ્યુ છે. ત્યારે આર્થિક રીતે પછાત હોય તેવા સમાજના અનેક કુટુંબોની પહોંચ બહાર શિક્ષણ જઈ રહ્યુ છે.
પાટીદાર સમાજના અગ્રણી દિનેશ અનઘણના જણાવ્યા મુજબ આજે શિક્ષણનું મોટાપાયે ખાનગીકરણ થઈ ગયુ છે અને બાળકોને તોતિંગ ફી ભરવી પડે છે ત્યારે સરકાર કંઈક હસ્તક્ષેપ કરે અને મોંઘી ફી ન ભરવી પડે તે અંગે ચર્ચા કરવામાં આવી.
પાટીદાર સમાજના અગ્રણી કેકે પટેલે જણાવ્યુ કે અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ એવી છે જે 5,7 હજારમાં આજે પણ ભણાવે છે.જેની સામે અન્ય ઘણી સંસ્થાઓ એવી છે, જે સરકારના પૈસા લે છે, સરકાર દ્વારા અનુદાનિત છે. તેવી સંસ્થાઓની અંદર માલિકીપણુ દૂર થવુ જોઈએ. તેની ફી વધારે લે સરકારે તેને હસ્તગત કરવી જોઈએ અને તેની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે તેવી ફી લઈને બાળકોને ભણાવવા જોઈએ. બેઠકમાં આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
Input Credit- Mehul Bhokalva- Surat