‘ટનાટન’ની રાજનીતિમાં પરેશ ધાનાણીનો વધુ એક પ્રહાર, ધાનાણીએ નામ લીધા વગર નીતિન પટેલ પર તાક્યું નિશાન

|

Mar 27, 2024 | 6:57 PM

‘ટનાટન’ની રાજનીતિમાં પરેશ ધાનાણીએ વધુ એક પ્રહાર કર્યો છે. ધાનાણીએ પહેલા ‘કમલમ’માં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન બાદ હવે નામ લીધા વગર નીતિન પટેલ પર નિશાન તાક્યું છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો કવિ અવતાર ફરી સક્રિય થયો છે. ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપ પર કટાક્ષ કર્યો છે.

ભાજપમાં આંતરિક અસંતોષ વધ્યો છે. કેટલીક બેઠક પર જાહેર થયેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસે આજ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ‘ટનાટન’ની રાજનીતિમાં પરેશ ધાનાણીએ વધુ એક પ્રહાર કર્યો છે. ધાનાણીએ પહેલા ‘કમલમ’માં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન બાદ હવે નામ લીધા વગર નીતિન પટેલ પર નિશાન તાક્યું છે.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો કવિ અવતાર ફરી સક્રિય થયો છે. ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું છે કે,

“હા પાડીને, હેઠા બેસાડયા”

ભીખુસીંહને ભોઠા પાડ્યા,

રંજનબેનને રડાવીયા,

નારણભાઈની નાડ ઢીલી,

ધડૂકના ઢોલ પીટી નાખ્યા,

રુપાણીને રમતા મુક્યા,

મુંજપરાને મરડી નાખ્યા,

ભારતીબેન ભૂંસાઈ ગયા,

કેસી બની ગયા દેશી,

અને મેહાણી કાકાનો તો

કાંટો જ કાઢી નાખ્યો.!

Next Video