સરદારધામની એક લાખ પાટીદાર મહિલાઓએ શરૂ કર્યું આ અનોખુ અભિયાન
સરદાર ધામની પ્રવુતિઓ સાથે સંકળાયેલી એક લાખ પાટીદાર મહિલાઓ સ્વાવલંબન અભિયાન અંતર્ગત રોજ 1- 1 રૂપિયો એકત્ર કરીને વર્ષે 3 કરોડ 65 લાખનું ફંડ એકત્ર કરશે.
ગુજરાતમાં(Gujarat) કન્યા કેળવણીને ( Girls Education) વેગ આપવામાં માટે સરદારધામના (Sardardham) નેજા હેઠળ એક લાખ મહિલાઓએ અનોખુ બીડું ઝડપ્યું છે. જેમાં સરદાર ધામની પ્રવુતિઓ સાથે સંકળાયેલી એક લાખ પાટીદાર મહિલાઓ સ્વાવલંબન અભિયાન અંતર્ગત રોજ 1- 1 રૂપિયો એકત્ર કરીને વર્ષે 3 કરોડ 65 લાખનું ફંડ એકત્ર કરશે.
તેમજ આ એકત્ર થયેલા ફંડમાંથી અંદાજે 10 હજારથી વધુ દીકરીઓનો અભ્યાસ ખર્ચ નીકળી શકશે. આ અભિયાન હેઠળ 33 જિલ્લામાં સરદારધામની 1 લાખ બહેનો અલગ-અલગ ટીમબનાવવામાં આવી છે.
સરદારધામના નેજા હેઠળ શરૂ કરવામાં આવેલા આ અભિયાનનો હેતુ શિક્ષણ દ્વારા મહિલા સશકિતકરણનો છે. જેમાં કોઇપણ દીકરીને આર્થિક સંકડામણના પગલે અધવચ્ચે અભ્યાસ પડતો ના મૂકવો પડે તે છે. આ ઉપરાંત મહિલા શિક્ષણ વધતાં મજબૂત અને શિક્ષિત સમાજની દિશામાં પણ એક મહત્વના કાર્યને વેગ મળશે.
સરદારધામ દ્વારા દીકરી સ્વાવલંબન યોજના પણ ચલાવવામાં આવે છે. જેમાં સરદારધામના આ મિશન અંતર્ગત યુવા તેજસ્વી સ્ત્રી સશકિતકરણના ભાગરૂપે ઉજ્જવળ કારકિર્દી અને આર્થિક પગભર થવા મદદ કરે છે.
આ પણ વાંચો : રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો શાળાઓને ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા આદેશ
આ પણ વાંચો : BANASKANTHA : કાંકરેજ તાલુકાના વડીયા ગામમાં ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી, કેમ ગ્રામજનોમાં નારાજગી ?
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
