નવસારી : ચોમાસાની શરૂઆત થતા જ તંત્રએ કરેલી રોડની નબળી કામગીરીની પોલ ખુલી જતી હોય છે.ત્યારે નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ઉન ગામ નજીક મસ મોટા ખાડા પડી ગયા છે.
રથણ ગામ નજીક પણ રસ્તા પર ખાડા પડી જતા લોકોની મુશ્કેલી વધી છે.દિલ્હી મુંબઈને જોડતો મહત્વના માર્ગ પર આવશ્યક સેવાઓનું વહન થતું હોય છે ત્યારે રસ્તાની ચીથરેહાલ હાલત વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે.જો આવા બિસ્માર રસ્તાને કારણે કોઇ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ એ સવાસ સતાવી રહ્યો છે.
આ પણ વાંચો : Rath Yatra 2024 : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉતારી ભગવાન જગન્નાથની મંગળા આરતી, જુઓ Video
Published On - 7:15 am, Sun, 7 July 24