નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે છે.
જૂની શાળા જ્યાં હતી તેનું બિલ્ડીંગ તોડીને આ શાળાને નર્મદા નિગમના બિલ્ડીંગમાં સિફ્ટ કરવામાં આવી હતી. આ બાબતને બે વર્ષ વતી ગયા છતાં બાળકો માટે સ્કૂલનું નવું બિલ્ડીંગ બન્યું નથી. સ્કૂલની હાલત જોતા જૂનું અને જર્જરિત બિલ્ડીંગ, ક્લાસરૂમાં પડેલા ફાઈલના પોટલાઓ નજરે પડે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વાલીઓની રજૂઆત બાદ શાળાની મુલાકાત લીધી હતી. ચૈતર વસાવાએ સરકાર સમક્ષ વહેલી તકે શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.
Input Credit : Vishal Pathak, Narmada