ભરૂચ : કોંગ્રેસને મુમતાઝ પટેલની ટકોર: “એક થશો તો જ જીતશો, બાકી પ્રચાર વ્યર્થ”

ભરૂચ : કોંગ્રેસને મુમતાઝ પટેલની ટકોર: “એક થશો તો જ જીતશો, બાકી પ્રચાર વ્યર્થ”

| Updated on: Apr 16, 2026 | 3:10 PM

ભરૂચ કોંગ્રેસમાં જૂથબંધી અને વિભાજનના કારણે રાષ્ટ્રીય નેતા નારાજ થયા છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કાર્યકરોને ટકોર કરતા કહ્યું છે કે "એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી"

ભરૂચ કોંગ્રેસમાં જૂથબંધી અને વિભાજનના કારણે રાષ્ટ્રીય નેતા નારાજ થયા છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કાર્યકરોને ટકોર કરતા કહ્યું છે કે “એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી”

લોકસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી અને કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરીને રાજકીય મોરચે ખળભળાટ મચાવી દીધો છે.

મુમતાઝ પટેલે ભરૂચ કોંગ્રેસના સંગઠન પર સવાલો ઉઠાવતા લખ્યું કે, મને પ્રચાર માટે બોલાવી રહ્યા છો… પણ એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જો ચૂંટણી જીતવી હોય તો પહેલા એક થવું પડશે અન્યથા પ્રચાર ફક્ત એક ઔપચારિકતા બનીને રહી જશે.

આ પણ વાંચો : ભરૂચ ભાજપમાં ‘ક્યાંક ખુશી ક્યાંક ગમ’: 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું

Published on: Apr 16, 2026 03:05 PM
Follow Us