બનાસકાંઠા : પાલનપુર પંથકમાં સગીરા સાથે વિધર્મીએ આચર્યું દુષ્કર્મ, પોલીસે તપાસ હાથ ધરી
આરોપીએ સગીરાને કપડા લેવાની લાલચ આપી ફોસલાવીને કારમાં બેસાડી અને સગીરાનું અપહરણ કર્યા બાદ અમદાવાદ, મોરબી અને જૂનાગઢ લઇ ગયો. જે બાદ વિધર્મી યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાની માતાને જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ગઢ પંથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. વિધર્મી યુવકે સગીરાને ફોસલાવી અને કારમાં બેસાડીને અપહરણ કર્યું અને વિવિધ સ્થળ પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. સગીરા કેટરર્સમાં ભોજન પીરસવાનું કામ કરવા જતી હતી તે દરમિયાન વિધર્મી યુવકે ફોસલાવી દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત
આરોપીએ સગીરાને કપડા લેવાની લાલચ આપી ફોસલાવીને કારમાં બેસાડી અને સગીરાનું અપહરણ કર્યા બાદ અમદાવાદ, મોરબી અને જૂનાગઢ લઇ ગયો. જે બાદ વિધર્મી યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરાની માતાને જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. વિધર્મી યુવક વાસણ (ધાણધા)નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો, પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
