ખેરાલુ નગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. કેટલાક દિવસ પૂર્વે ખેરાલુમાં શ્રી રામ શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરાયો હતો. આ વિસ્તારમાં કરાયેલા ગેરકાયદે બાંધકામ ઉપર તંત્રે બુલડોઝર ફેરવ્યું છે. ખેરાલુ નગરપાલિકા દ્વારા જકાતનાકા પાસે, હાટડીયા વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવા માટે, નોટીસ આપી હતી. નોટીસના સમયગાળા દરમિયાન પણ દબાણ દૂર ના કરતા, તંત્રે બુલડોઝર ફેરવીને ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું છે.
બીજી તરફ આ અગાઉ 31 જાન્યુઆરીએ જુનાગઢમાં ભડકાઉ ભાષણ આપ્યુ હતુ જે ઘણુ વીવાદી હતુ. આ ભાષણનો વીડિયો વાયરલ થયા બાદ જુનાગઢ પોલીસે અઝહરી સામે FIR નોંધી હતી. આ કાર્યક્રમ અંગે પોલીસને એવુ જણાવવામાં આવ્યુ હતુ કે આ ધાર્મિક કાર્યક્રમ છે જેમા મુફ્તી સલમાન અઝહરી તેમા હેટ સ્પીચ આપી હતી. જેના પગલે પોલીસે તેમની ધરપકડ કરી છે.