Mehsana: દૂધસાગર ડેરીના બહુચર્ચિત ઘી ભેળસેળ કૌભાંડમાં વધુ 3 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઇ છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર સહિત 3 લોકો સામે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ છે. આ પહેલા અન્ય 3 આરોપીઓ સામે પણ ચાર્જશીટ કરવામાં આવી હતી. મહત્વનું છે કે કૌભાંડ મામલે અગાઉ ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરી, તત્કાલીન એમડી નિશીથ બક્ષી, લેબ ટેકનિશિયન તેમજ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો : ડાયમંડ સિટી સુરતમાં બન્યું હીરા જડિત સંસદ, જુઓ PHOTOS
વર્ષ 2020માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધસાગર ડેરીમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન અમૂલ અને સાગર બ્રાન્ડની જૂદી જૂદી બેંચના 146 જેટલા ઘીના સેમ્પલ લઇને વડોદરાની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. કુલ 146 પૈકી ફક્ત 1 સેમ્પલ જ પાસ થયું હતું. જ્યારે કે બાકીના તમામ 145 સેમ્પલમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું.
મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો