Breaking News : પાટીદાર સમાજમાં ખર્ચાળ રીત-રિવાજો સામે ‘સામાજિક બંધારણ’ ઘડવા મથુર સવાણીએ જનમત માગ્યો, જુઓ Video

| Updated on: Jan 10, 2026 | 1:21 PM

સુરતના જાણીતા ઉદ્યોગપતિ પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં વધી રહેલા ખર્ચાળ રિવાજો અને પ્રસંગો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આ ખર્ચ ઘટાડવા માટે સામાજિક બંધારણ ઘડવા જનમત માંગ્યો છે. પાટીદાર સમાજના સભ્યોને ઓનલાઇન લિંક દ્વારા પોતાના સૂચનો અને સમર્થન નોંધાવવા અપીલ કરાઇ છે.

બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવ્યા બાદ. હવે પાટીદારોમાં પણ સમાજના ખર્ચાળ રિવાજો સામે પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં ખર્ચાળ રીત-રિવાજો સામે ‘સમાજનું બંધારણ’ ઘડવાના મત માટે જનમત માંગ્યો છે. મથુર સવાણીએ સમાજમાં વધી રહેલા દેખાડા અને ખર્ચાળ પ્રસંગો પર ચિંતા વ્યક્ત કરી કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લિંક ડેવલપ કરી છે. જેનાથી એ ખ્યાલ આવશે કે સમાજના કેટલાં લોકો આ પહેલમાં જોડાવા આતુર છે..

સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર પદ્મશ્રી મથુર સવાણીએ પાટીદાર સમાજમાં સામાજિક બંધારણ ઘડવા માટે પહેલ કરી છે. આ પહેલનો મુખ્ય હેતુ સમાજમાં પ્રચલિત ખર્ચાળ રીતરિવાજો અને પ્રસંગોને નિયંત્રિત કરવાનો છે, જેના પર સવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક બંધારણ બનાવવામાં આવ્યા બાદ, હવે પાટીદાર સમાજમાં પણ ખર્ચાળ રિવાજો સામે પ્રશ્નો ઉભા થયા છે.

મથુર સવાણીએ પાટીદાર સમાજના સભ્યો પાસેથી તેમના મત માંગવા માટે એક ઓનલાઇન લિંક અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂક્યો છે. આ લિંક દ્વારા તેઓ સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજને રીતરિવાજ ઘટાડવા અને બંધારણ બનાવવા માટે પોતાનું નામ, સરનામું અને ફોન નંબર નોંધાવવા વિનંતી કરી રહ્યા છે. સવાણીએ જણાવ્યું કે જો લાખો લોકોની સંખ્યામાં પ્રતિસાદ મળશે, તો બધા પાટીદાર સમાજના લોકોને સાથે રાખીને આગળની જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ પહેલ સમાજ સુધારણા અને આર્થિક બોજ ઘટાડવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 10, 2026 01:15 PM