AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડા જિલ્લામાં મધ્યાહન ભોજનના સંચાલનમાં મોટી બેદરકારી, મેનુ પ્રમાણે બાળકોને નથી અપાતું ભોજન, જુઓ Video

ખેડા જિલ્લામાં મધ્યાહન ભોજનના ટાઈમ ટેબલના મેનુ પ્રમાણે બાળકોને ભોજન ન અપાતું હોવાનો ખુલાસો થયો છે. Tv9એ જે કેન્દ્રો પર મુલાકાત કરી તે કેન્દ્રો પર બાળકોને અપાતા કઠોળનો નાસ્તો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે.

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jul 26, 2023 | 12:56 PM
Share

Kheda : ગ્રામ્ય વિસ્તારના બાળકો પ્રાથમિક શાળામાં (Primary school) પોષણયુક્ત ભોજન મેળવે તે હેતુસર સરકાર મધ્યાહન ભોજન યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. તેમ છતાં અવાર-નવાર તેમાં બેદરકારી સામે આવતી હોય છે. આ અંગે Tv9એ ખેડામાં જુદી-જુદી શાળાઓમાં રિયાલિટી ચેક કર્યું. જેમાં ખેડા જિલ્લામાં મધ્યાહન ભોજનનાં સંચાલનમાં લાલિયાવાડી સામે આવી છે.

આ પણ વાંચો Gujarat Rain : ખેડાના નડિયાદમાં ધોધમાર વરસાદ, અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ, જુઓ Video

મધ્યાહન ભોજનના ટાઈમ ટેબલના મેનુ પ્રમાણે બાળકોને ભોજન ન અપાતું હોવાનો ખુલાસો થયો છે. Tv9એ જે કેન્દ્રો પર મુલાકાત કરી તે કેન્દ્રો પર બાળકોને અપાતા કઠોળનો નાસ્તો માત્ર કાગળ પર હોવાનું સામે આવ્યું છે. બાળકોના મધ્યાહન ભોજનમાં કઠોળ જાણે ગાયબ જ થઈ ગયું છે. મહત્વની વાત છે કે ખેડા જિલ્લામાં ચાલુ માસે ચણા અને મગનો જથ્થો જ ફાળવવામાં નથી આવ્યો. આ અંગેની કબૂલાત મધ્યાહન ભોજનના સંચાલકોએ કરી છે. તેમનો આરોપ છે કે આગળથી જ કઠોળનો જથ્થો આવ્યો નથી.

મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી લાલીયાવાડી પાછળ યોગ્ય સંચાલનનો અભાવ પણ કારણભુત મનાઇ રહ્યો છે. બાળકો માટેની આ યોજના પર કોઇની દેખરેખ ન હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લાના નાયબ કલેક્ટર પાસે એકથી વધુ ચાર્જ છે. આવા સંજોગોમાં બાળકોના મધ્યાહન ભોજનની ચિંતા કોણ કરે તે લોકોના મનમાં એક મોટો સવાલ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સરસપુરમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના મામેરાના દર્શન
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સ્કૂલના શિક્ષકે હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
g clip-path="url(#clip0_868_265)">