Breaking News : વીર નર્મદ યુનિવર્સિટીનો વધુ એક છબરડો, પરીક્ષા જ ન આપનાર વિદ્યાર્થીનું પરિણામ જાહેર કર્યુ, જૂઓ Video
વલસાડની (Valsad) લૉ કોલેજના એક વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોવા છતાં તેનું પરિણામ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી જ નહોતી. છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ અપાયા છે.
Surat : સુરત સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીનો (Veer Narmad University) વધુ એક છબરડો સામે આવ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટી અંતર્ગત આવતી વલસાડની (Valsad) લૉ કોલેજના એક વિદ્યાર્થીએ પરીક્ષા ન આપી હોવા છતાં તેનું પરિણામ આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીએ LLB સેમ-6ની પરીક્ષા આપી જ નહોતી. છતાં તેનું પરિણામ જાહેર કરીને એક વિષયમાં માર્ક્સ અપાયા છે.
જોકે, કોલેજે યુનિવર્સિટીને પત્ર લખીને વિદ્યાર્થીનો પ્રવેશ રદ કરવાની સાથે તે વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ રદ કરવા જણાવ્યું છે. આ મામલે યુનિવર્સિટીમાં ફરિયાદ થતાં તપાસ હાથ ધરાઈ છે. યુનિવર્સિટીના કુલપતિએ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવતા કહ્યું કે- આ પ્રકારની બેદરકારી ભવિષ્યમાં ન થાય તે માટે તપાસના આદેશ કરાયા છે અને જે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે આ વર્ષે 5 લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ઘણા વિદ્યાર્થીઓના પરિણામોમાં છબરડાની ફરિયાદો ઉઠી છે. તેમ છતાં ભૂલો કરનાર કંપનીઓને જ કામ સોંપાયું હતું. યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન ઉત્તરવહી ચેકિંગથી લઈને પરિણામ જાહેર કરવા સુધીના કામ પાછળ કરોડોનો ખર્ચ કરાય છે. તેમ છતાં છબરડા થઈ રહ્યા છે. આ મામલામાં જવાબદાર કોણ તે હજુ જાણી શકાયું નથી.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
