પોરબંદરમાં કોંગ્રેસની ઓફિસમાં લાગ્યા તાળા ! 4 હજાર કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા, જુઓ Video

|

Mar 21, 2024 | 3:09 PM

પોરબંદર જિલ્લા કોંગ્રેસ જાણે સંપૂર્ણ ખાલી થઈ ગઈ છે. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાના તમામ સમર્થકો અને જિલ્લા કોંગ્રેસના તમામ પાંખના હોદ્દેદારોએ કેસરિયા કરી લીધા છે. લગભગ 4 હજાર કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયા છે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસ જાણે સંપૂર્ણ ખાલી થઈ ગઈ છે. અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ મોઢવાડિયાના તમામ સમર્થકો અને જિલ્લા કોંગ્રેસના તમામ પાંખના હોદ્દેદારોએ કેસરિયા કરી લીધા છે. લગભગ 4 હજાર કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયા છે.

આ પણ વાંચો- જાણો કોણ છે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ, જેમણે નાની ઉંમરમાં જ કર્યું હતુ મોટું કામ, આવો છે પરિવાર

આ તમામ કાર્યકરોને ભાજપ આગેવાનોએ આવકાર્યા હતા. જે દરમિયાન ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે,કોંગ્રેસના લીડર અર્જુન મોઢવાડિયાના કેસરિયા બાદ તેના હજારો સમર્થકો ભાજપમાં જોડાયા છે અને જેમ દૂધમાં સાકર ભળે તેમ ભાજપમાં ભળી ગયા છે. તમામ ચૂંટણીમાં સૌ સાથે મળીને કામ કરીશું. આ દરમિયાન અર્જુન મોઠવાડિયાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને હવે વિપક્ષ નહિ રહ્યું હોવાનું કહી કોંગ્રેસ સામે બાયો ચડાવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:09 pm, Thu, 21 March 24

Next Video