BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તે માટે કરી પ્રાર્થના

મહંતસ્વામી મહારાજે વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ફસાયેલા વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતાતૂર અને ભયમાં છે. તે માટે પ્રાર્થના કરીએ છીએ કે, વિદ્યાર્થીઓ વહેલીતકે સહીસલામત પરત ફરે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 8:42 AM

રશિયા-યુક્રેનના યુદ્ધ (Russia-Ukraine war)ના કારણે દુનિયાભરમાં તણાવભરી સ્થિતિ છે. સૌ કોઇ યુદ્ધ જલ્દી પૂર્ણ થાય તે માટે પ્રાર્થના (Prayer) કરી રહ્યા છે. ત્યારે આ તરફ BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે પણ વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધ બંધ થાય અને વહેલી તકે શાંતિ સ્થપાય તે માટે મહંતસ્વામી મહારાજે (Mahant swami Maharaj) પ્રાર્થના કરી છે.

BAPSના વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે શાંતિ સ્થપાય તે માટે તે માટે પ્રાર્થના કરતા કહ્યું કે, વિશ્વ ઈચ્છે છે કે યુદ્ધ જલદી સમાપ્ત થાય. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. મહંત સ્વામીએ એવું પણ કહ્યું કે, બીએપીએસ દ્વારા યુક્રેન-પોલેન્ડ સરહદે રાહતકેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. યુકે, ફ્રાન્સ, જર્મની સહિત યુરોપમાંથી પણ સ્વયંસેવકો સેવા કરવા આવ્યા છે. માઈનસ તાપમાનમાં લાંબી મજલ કાપીને ભારતીય વિદ્યાર્થીઓ રાહત કેમ્પમાં પહોંચી રહ્યા છે. જેથી કપરા સમયમાં સંસ્થાઓ સાથે મળી કામ કરે તે જરૂરી છે.

મહંતસ્વામી મહારાજે વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર માટે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ફસાયેલા વિદ્યાર્થીઓનો પરિવાર ચિંતાતૂર અને ભયમાં છે. તે માટે પ્રાર્થના કરીએ છીએ કે, વિદ્યાર્થીઓ વહેલી તકે સહીસલામત પરત ફરે.

આ પણ વાંચો-

Rajkot : 500 કરોડના આક્ષેપના પર્દાફાશ પાછળ ભાજપના જ નેતા જવાબદાર હોવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો આક્ષેપ

આ પણ વાંચો-

Gujarat Budget 2022 : નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈનું અંદાજ પત્ર, ગુજરાતના નાણાકીય વર્ષ 2022-2023ની મુખ્ય જાહેરાત-જોગવાઈઓ પર નજર કરો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">