લાઉડ સ્પીકરથી હેરાનગતિ : સુરતના એક કાર્યક્રમમાં લાઉડસ્પીકર અંગે મહંત રામ વેદાંતીએ આપ્યુ મોટુ નિવેદન

|

May 04, 2022 | 8:20 AM

સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ સમિતિના સભ્ય મહંત રામ વિલાસ વેદાંતીએ (Ram Villas Vedanti) લાઉડ સ્પીકરને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Surat : મહારાષ્ટ્ર અને ઉતરપ્રદેશ(Uttarpradesh)  સહિત ઘણા રાજ્યોમાં લાઉડ સ્પીકરને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. જેને પગલે મંદિર અને મસ્જિદો માટે યોગી સરકારે ગાઈડલાઈન(Guideline) જાહેર કરી છે. ત્યારે સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર શિલાન્યાસ સમિતિના સભ્ય મહંત રામ વિલાસ વેદાંતીએ(Ram Vilas Vedanti)  લાઉડ સ્પીકરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, લાઉડ સ્પીકરને(Loudspeaker Controversy)  લઈને દેશના તમામ રાજ્ય સરકારને મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથ જેવું કામ કરવું જોઈએ.

જે રીતે ઉત્તરપ્રદેશમાં કામગીરી થઈ રહી છે તેને આવકારૂ છું અને મુખ્યપ્રધાન યોગીને અભિનંદન આપું છું. તેમણે એમ પણ કહ્યું, કોઈ પણ ધાર્મિકસ્થળ હોય ત્યાં લાઉડ સ્પીકરનો અવાજ સીમિત હોવો જોઈએ, જેથી કોઈપણ વ્યક્તિ હેરાન ન થાય. લાઉડ સ્પીકરમાં મોટા અવાજા ધાર્મિક ક્રિયા કરવી યોગ્ય નથી.

લાઉડ સ્પીકર વિવાદ વધુ વણસ્યો

નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray MNS) મહારાષ્ટ્રમાં અઝાન વિવાદને સંસેડ્યો હતો.જે બાદ અઝાન સામે હનુમાન ચાલીસાના પાઠ કરવાનો સિલસિલો શરૂ થયો હતો.હાલ મહારાષ્ટ્રમાં લાઉડ સ્પીકર વિવાદ વધુ વણસ્યો છે.1 મેના રોજ ઔરંગાબાદની રેલીમાં રાજ ઠાકરેના ભડકાઉ ભાષણને લઈને FIR નોંધવામાં આવી છે. તમને જણાવી દઈએ કે,રાજ ઠાકરેએ ઔરંગાબાદની રેલીમાં તેમના અલ્ટીમેટમનો પુનરોચ્ચાર કર્યો હતો કે જો ત્રણ તારીખ પછી પણ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો મનસે કાર્યકર્તાઓ મસ્જિદોની સામે હનુમાન ચાલીસાના પાઠ કરશે.

Next Video