Amreli : અમરેલીના સાવરકુંડલામાં (Savarkundla) ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિજીને રૂપિયા 21 લાખની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. ગણેશજીના ફરતે રૂપિયા 10થી લઈને 500 સુધીની ચલણી નોટોનો શણગાર કરાયો છે.
સદભાવના ગ્રુપ દ્વારા દરરોજ વિવિધ શણગાર કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિના ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. લખપતિ ગણપતિ સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો