જેઠા ભરવાડ પર ગેરકાયદે બાંધકામનો આરોપ “વનવિભાગની જમીન પચાવી મકાન બનાવ્યું”

વિધાનસભાના ડે.સ્પીકર જેઠા ભરવાડે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના આક્ષેપ થયા છે. અને, આ મામલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે. ગોધરાના શહેરા ખાતે ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડવાનો જેઠા ભરવાડ પર આરોપ લાગ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:59 PM

વિધાનસભાના (Assembly) ઉપાધ્યક્ષ (Deputy Speaker) જેઠા ભરવાડ (Jetha Bharwad) સામે ગેરકાયદે બાંધકામનો આક્ષેપ થયો છે. શહેરા(Shehra) તાલુકા પંચાયતના (Taluka Panchayat)વિરોધ પક્ષના નેતાએ જેઠા ભરવાડ પર ગંભીર આરોપ લગાવ્યો છે. વિપક્ષના નેતાનો આરોપ છે કે જેઠા ભરવાડે વન વિભાગની જમીન પર કબ્જો કરી મકાન બનાવી દીધું છે. શહેરા ખાતે આવેલા ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડી હોવાનો પણ આરોપ છે. હાલ આ અંગે મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કહ્યું કે આ મુદ્દે તપાસ કરીશું.તપાસ બાદ જે સત્ય હશે તે બહાર આવશે.

તો બીજી તરફ જેઠા ભરવાડે તમામ આક્ષેપને ફગાવ્યાં અને કહ્યું કે જે વ્યક્તિએ મારા પર આરોપ લગાવ્યાં છે તે ગુનાહિત પ્રવૃતિ ધરાવે છે. આક્ષેપ કરનાર વ્યક્તિની મેં ટ્રેનિંગ સ્કૂલ બંધ કરાવી હતી. જેનો ખાર રાખી મને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું છે.

નોંધનીય છેકે વિધાનસભાના ડે.સ્પીકર જેઠા ભરવાડે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના આક્ષેપ થયા છે. અને, આ મામલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે. ગોધરાના શહેરા ખાતે ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડવાનો જેઠા ભરવાડ પર આરોપ લાગ્યો છે. આરોપ છેકે જેઠા ભરવાડે વનવિભાગની જમીન પચાવી પાડી છે. અને, જમીન પર બે માળનું મકાન, બગીચો, પાક્કો રોડ અને પાણીની ટાંકી બનાવી દીધી છે. આ તમામ આક્ષેપે શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ લગાવ્યા છે.

આ પણ વાંચો : પતંગ રસિયાઓ માટે સારા સમાચાર, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે

આ પણ વાંચો : અમદાવાદ નાગરિક પુરવઠા કચેરીમાં 9 લોકો પોઝિટિવ, રેશનકાર્ડને લગતી કામગીરી પર થશે અસર

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">