Jamnagar: રાજ્યમાં થોડા જ દિવસોમાં ચોમાસું આવી જશે. ચોમાસા પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત જામનગર મહાનગરપાલિકામાં પણ આશરે 1.20 કરોડના ખર્ચે પ્રિમોન્સૂનની કામગીરી શરૂ કરાશે. જો કે હજી આ કામગીરી શરૂ પણ નથી થઈ અને વિપક્ષ તરફથી શાસકપક્ષ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિરોધપક્ષનો આરોપ છે કે મનપા તરફથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કેનાલોની યોગ્ય સફાઈ કરવામાં નથી આવી. આ માટે વિરોધપક્ષે સ્થળ તપાસ કરીને મનપાની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.
આ પણ વાંચો : ભૂજની ગીતા માર્કેટમાં ક્લોરિનનો સિલિન્ડર લીકેજ, ત્રણ લોકોને ગંભીર રીતે અસર, જુઓ CCTV
આ તરફ મનપાના અધિકારીનું જણાવવું છે કે શહેરના કુલ 11 સ્થળોએ આશરે 40 કીમીના વિસ્તારમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવશે. જેના માટે પાલિકાની ટીમને કામની સોંપણી કરીને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જેના માટે વિવિધ એજન્સીઓને ટેન્ડર પ્રક્રિયા બાદ કામગીરી સોંપવામાં આવી છે. અધિકારીની જણાવ્યા પ્રમાણે આ વખતે માત્ર પ્રિમોન્સૂન જ નહીં પણ વરસાદ બાદ પણ કામગીરીઓ કરવામાં આવશે.
જામનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો