Kutch: નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર ,6 તાલુકાના 77 ગામોને થશે ફાયદો

આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 4 લિંકનું આયોજન છે.. પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 9:55 AM

રાજ્ય સરકાર દ્વારા કચ્છ (Kutch)ના 77 ગામોને સિંચાઇના પાણીનો લાભ મળે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે (State Government)કચ્છ માટે નર્મદા (Narmada)ના વધારાના ૧ મિલીયન એકર ફુટ પાણીના ઉપયોગ માટે ફેઝ-૧ના કામો માટે રૂપિયા ૪૩૬૯ કરોડ ના કામો મંજૂર કર્યા છે.

કચ્છમાં હવે નર્મદાનો વ્યાપ વધશે. જેનાથી કચ્છના ગામડાઓમાં નર્મદાના પાણીનો લાભ મળશે. રાજ્ય સરકારે કચ્છ માટે નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફૂટ પાણીના ઉપયોગ માટે ફેઝ-1ના કામો મંજૂર કર્યા છે.. જેના માટે રૂપિયા 4 હજાર 369 કરોડ મંજૂર કરાયા છે.. સરકારના આ નિર્ણયથી 6 તાલુકાના 77 ગામોને સિંચાઈના પાણીની સુવિધા મળશે. નર્મદાના પૂરના વહી જતા વધારાના પાણીનો આ એક મિલિયન એકર ફૂટ પાણીનો જથ્થો કચ્છ પ્રદેશ માટે ફાળવવામાં આવેલો છે.

આ વધારાના પાણીના ઉપયોગ માટે કુલ 337.98 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 4 લિંકનું આયોજન છે. પાઇપલાઇન મારફતે 38 જેટલી નાની તથા મધ્યમ સિંચાઈ યોજનાઓમાં આ પાણી નાખવાનું રાજ્યના જળસંપત્તિ વિભાગનું આયોજન છે. સરકારના નિર્ણયથી કચ્છના મુન્દ્રા, અંજાર, માંડવી, રાપર, ભુજ અને નખત્રાણા એમ 6 તાલુકાના 77 ગામોને ફાયદો થશે.. એટલું જ નહિ અંદાજે 2 લાખ 81 હજાર એકર વિસ્તારમાં નર્મદાના પાણીથી સિંચાઈ થઈ શકશે..

કચ્છના ઘણા ગામોમાં નર્મદાના પાણી ન પહોંચતા હોવાના કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવવી પડતી હતી. જો કે રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે કચ્છના ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓ નહીં નડે.

આ પણ વાંચોઃ

Kheda: ડાકોરના રણછોડરાય મંદિરમાં આરતી સમયે દર્શનાર્થીઓને પ્રવેશ નહીં, મંદિરમાં પ્રતિક્રમા કરવા પર પણ પ્રતિબંધ

આ પણ વાંચોઃ

Surat: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઇ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">