અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ભારે વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. લોકો કઇ સમજે તે પહેલા જ ધોધમાર વરસાદના પાણી ઘરોમાં ઘૂસ્યા છે. પહેલા જ વરસાદમાં અમદાવાદીઓના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે. કોઇની ઘરવખરી, તો કોઇનું વાહન પાણીમાં ડૂબ્યું છે.
ઘાટલોડિયાની એકપણ સોસાયટી એવી નહીં હોય જ્યાં 3 ફૂટ પાણી ન ભરાયા હોય. ઘાટલોડિયાની અલ્કાપુરી સોસાયટીના ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે અને નાગરિકોના હાલ બેહાલ બન્યા છે. ત્યારે મેગા સિટી અને મેટ્રો સિટી તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે.